Thursday, October 20, 2011

માણસનો ભાવ તો એના પોતાના ‘ભાવ’ મુજબ જ નક્કી થાય.

માણસનો ભાવ કેટલો? અહીં કિંમતને બદલે ભાવ શબ્દ સારા અર્થમાં જ લખ્યો છે. શું છે કે કિંમત તો એક જ અર્થમાં વિચારાય, ભાવ તો સારા અને ખરાબ અર્થમાં બેઉમાં બોલાય. સાત્વિક અને ધાર્મિક અર્થમાં પણ માણસનો ભાવ ઠરાવાય, કહેવાય કે આના ભાવ કેવા છે. અને કાળ ચડે તો એવું પણ કહેવાય કે આનો કોઇ ભાવ પૂછતું જ નથી. જો કે માણસનો ભાવ તો એના પોતાના ‘ભાવ’ મુજબ જ નક્કી થાય. જેનો ભાવ જેવો હોય, એવું એનું જીવન બને. બીજા કોઇને આપણે આપણા જીવનની દશા કે અવદશા માટે દોષિત ઠરાવીએ તો એ સદંતર ખોટું ગણાય. દિવસભરની પ્રવૃત્તિઓનો વિચાર કરજો ક્યારેક તો સમજાશે, સાચું તરત સમજાશે. આપણાથી જેવા વિચાર કરાય છે તેવા જ દિવસો તેના ફાળે આવે છે. જાતે સારા હશું તો આપોઆપ ખરાબ સ્થિતિમાં પણ ગમે ત્યાંથી સારું જીવન સામે આવીને આલિંગન આપે છે. ભાવ ખરાબ હશે તો આનાથી સાવ ઊંધું થશે જ થશે. તહેવારોના દિવસોમાં ચાલો એકવાર ફરી આત્માનો ભાવ ઉજવીએ. ઠરાવીએ કે આપણે કેવા છીએ, કેવા ભાવથી છીએ અને કેવા થવાની જરૂર છે. 

No comments:

Post a Comment