Friday, October 14, 2011

કાશ્મીરને સ્વાયત્તા નહીં આર્થિક ઉત્કર્ષની જરૂર છે

આર્ય પ્રદેશમાં મૂડીવગરનો કોઇ પેઢીવાળો નહોતો જ્યારે આજે પેઢીવાળા પાસે મૂડી નથી. શ્રીમંત પણ દુઃખી છે અને શ્રીમંતની જેમ ઇચ્છા રાખનારા પણ દુઃખી છે.

જમ્મુ-કાશ્મીર માટે નીમવામાં આવેલા ત્રણ વિષ્ટિકારોએ રાજ્ય સંબંધિત અહેવાલ કેન્દ્ર સરકારના ગૃહમંત્રી પી. ચિદમ્બરમને સુપરત કર્યો હતો. રાજ્યના પ્રશ્નો-સમસ્યાને ઉકેલવા તેમાં માત્ર રાજકીય સૂચન કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્યમાં લશ્કરી દળોને આપવામાં આવેલી વિશિષ્ટ સત્તા પાછી ખેંચી લેવા ભલામણ કરવામાં આવી છે. ત્રણ વ્યક્તિની જે ટુકડી હતી તેમાં દિલીપ પડગાંવકર, પૂર્વ માહિતી કમિશનર એમ. એમ. અન્સારી અને રાધાકુમારનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી એકપણ વ્યક્તિને જમ્મુ-કાશ્મીરના અર્થશાસ્ત્ર અને ભૂગોળનું જ્ઞાન નથી. જમ્મુ-કાશ્મીરને સ્વાયત્તતા નહીં, પરંતુ આર્થિક પ્રવૃત્તિનો વ્યાપ વધે તેની ખાસ જરૂર છે. જે ભલામણ કરવામાં આવી છે તેનાથી તો રાજ્ય ફરી ૧૯૫૩માં ધકેલાઇ જાય તેવું છે. કાશ્મીરનો પ્રશ્ન ગૂંચવી મારવામાં તેના ભૂતકાળે ઘણો જ ભાગ ભજવ્યો છે. કારણ કે કોઇને પ્રશ્નના ઉકેલમાં રસ નથી, પરંતુ વધુ ગૂંચવાય તો કોઇક તેમને પૂછે આવી બાબતમાં રસ છે.

એક બિનભારતીય સ્વૈચ્છિક સંગઠને થોડા વર્ષ અગાઉ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના નેતાઓની વફાદારી ભારત કે પાકિસ્તાન બેમાંથી કોઇની પણ સાથે નથી. તેઓ પાકિસ્તાનમાંથી પૈસા મળે તો તેમની તરફેણમાં બોલે છે. તેઓ વારંવાર ભારતને બદનામ કરવાની એકપણ તક જતી કરતા નથી. ભારતે તેમને દરેક સગવડતા અને સુવિધા આપી છે છતાં ભારતને ભાંડવાનું ચાલુ જ રાખે છે. જમ્મુ-કાશ્મીરના વિવિધ રાજકીય પક્ષોના ફૂટકળીયા નેતાઓ પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે. તેમાં મકાનો - વિશાળ ખેતર - વાડી - હોટલ અને ફાર્મનો સમાવેશ થાય છે. તેમના સંતાનો કાં તો દિલ્હી અથવા બેંગલોર કે વિદેશમાં અભ્યાસ કરે છે. તેઓ ખુદ વૈભવી જીવનશૈલી જીવે છે. પ્રશ્ન એ છે કે આવા રાજકીય નેતાઓ પાસે નાણાં આવ્યાં ક્યાંથી?હાલના સત્તાધારી પક્ષના નેતાઓએ પણ અબજો રૂપિયાની સંપત્તિ એકત્ર કરી છે. ધાર્મિક પરિવર્તન થવા સાથે કાશ્મીરમાં વફાદારીનું પણ પરિવર્તન થયું છે. આ સમગ્ર બાબત ઊંડી તપાસ માગે છે. બાકી વિવિધ રાજકીય પક્ષો - હુર્રિયત અને નેશનલ કોન્ફરન્સ ઉપરાંત પીડીએફ આ તમામના નેતાઓ ભ્રષ્ટ પુરવાર થયા છે. આજની પરિસ્થિતિમાં જમ્મુ-કાશ્મીર ખીણ વિસ્તારમાં ભારતના સુરક્ષા દળો કઇ રીતે કામગીરી બજાવે છે તેની કોઇ જાણકારી દિલીપ પડગાંવકર અને તેમની ટીમને છે ખરી? સુરક્ષા દળના જવાનો ભીંતસરસા થઇને સરહદોની સુરક્ષા કરી રહ્યા છે. બાકી વિવેચકો અને વિશ્લેષકો તો ખુરશીમાં બેસીને અભિપ્રાય આપે છે. તેમનાથી શેક્યો પાપડ પણ ભાંગી શકાય તેમ નથી.આ વિષ્ટિકારોમાંથી કોઇએ પણ બંધારણના અનુચ્છેદ ૩૭૦ દૂર કરવાની વાત કેમ કરી નથી? કાશ્મીરના વિકાસમાં અવરોધક તો આ બાબત છે. આથી તો ત્યાં કોઇ મૂડીરોકાણ કરતું નથી. જો દિલીપ પડગાંવકરને ઇતિહાસ-ભૂગોળની જાણકારી હોત તો સૌપ્રથમ આ વાત કરી હોત. માત્ર અમેરિકાને રાજી રાખવા સઘળી ભલામણ થઇ હોય તેમ જણાય છે.જમ્મુ-લડાખ અને કાશ્મીર ખીણ વિસ્તાર એમ ત્રણ ભાગલા પાડવાની વિદેશી સત્તાની યોજના ઘણા વર્ષોથી છે, પરંતુ ભાગલા શા માટે? ૧૯૪૭માં એક વખત ધર્મના નામે ભાગલા પડી ગયા છે. હવે કોઇ કાળે કોઇપણ વિસ્તારને અલગ થવા દેવાશે નહીં. ૧૯૮૨થી શરૂ થયેલી ખાલિસ્તાનની ચળવળ અને માગણીને મોંઘા બલિદાન આપીને કબ્રસ્તાન ભેગી કરી દેવામાં આવી હતી. કાશ્મીરમાં વેપાર-વાણિજ્ય અને કુટિર ઉદ્યોગ વધે, ફળોની ખેતી થાય - ઉત્પાદન વધે અને બીજાં રાજ્યો - પ્રદેશ વિસ્તાર સાથે વ્યાપારી પ્રવૃત્તિ વધે તો પ્રજાને ફાયદો થવાનો છે. બાકી પ્રજાને અળગી રાખવાથી તેમને સંકુચિત બનાવી દેવાથી કોઇ જ ફાયદો કોઇને થવાનો નથી. કાશ્મીરી પ્રજાએ તેમના દુશ્મનો કે જે તેમના નેતાઓ છે તેમને ઓળખી લેવાની જરૂર છે.કાશ્મીર કદી પણ સ્વાયત્ત બની શકે તેમ નથી તેવી તેની ભૌગોલિક પરિસ્થિતિ છે. બહારથી આવેલા આક્રમણખોરોની સેંકડો વર્ષની નીતિને કારણે જ હાલમાં અવિશ્વાસનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. ત્રણેય વિષ્ટિકારોને આવી બાબતની કેટલી જાણકારી છે તે એક પ્રશ્ન છે. જો શ્રેણીબદ્ધ આર્થિક પગલાં લેવાય તો ટૂંકા સમયગાળામાં જ પ્રશ્નનો ઉકેલ આવી જાય તેવું છે. ૧૯૪૭માં અંગ્રેજોએ જ્યારે ભારતને સ્વાતંત્રતા આપવાનો નિર્ણય કર્યો તે વખતે રજવાડાઓએ ભારત અથવા પાકિસ્તાનની પસંદગી કરવાની હતી. આથી કાશ્મીર પણ સ્વાયત્ત ન રહી શકે. મોડેથી કાશ્મીરના મહારાજાએ ભારત સાથે જોડાવાનો નિર્ણય કર્યો. આથી હવે કાશ્મીરને સ્વાયત્તતા બાબતે કોઇ જ બાંધછોડને સ્થાન જ નથી. વિ

No comments:

Post a Comment