Thursday, August 23, 2012

કોલસા કૌભાંડમાં ખરેખર કેટલા કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે?

કેન્દ્ર સરકારનો એવો દાવો છે કે તેમણે દેશની ઊર્જા સમસ્યા હલ કરવાના શુભ આશયથી કોલસાના બ્લોકોની મફતમાં ફાળવણી કરી હતી

કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના હેવાલ મુજબ કોલસા કૌભાંડને કારણે દેશની તિજોરીને ૧.૮૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. વિપક્ષો કહે છે કે આ કૌભાંડની જવાબદારી સ્વીકારીને વડા પ્રધાન મનમોહનસિંહ જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે સંસદની કાર્યવાહી ચાલવા નહીં દઈએ. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારી કહે છે કે ‘કેગ’ને નાહકનાં મીંડાંઓ લગાવવાની આદત છે. કેન્દ્ર સરકાર કહે છે કે ‘કેગ’ તેની જવાબદારીથી આગળ વધી ગયું છે. આ બાબતમાં સચ્ચાઈ જાણવી હોય તો ‘કેગ’ દ્વારા ૧.૮૬ લાખ કરોડનો આંકડો કેવી રીતે નક્કી કરવામાં આવ્યો એ સમજવા જેવું છે.
પહેલી વાત તો એ કે કેન્દ્ર સરકાર એમ સમજીને બેઠી છે કે દેશનાં કુદરતી સંસાધનો તેની અંગત મૂડી છે, માટે તેની કોઈને પણ ફાળવણી કરવાનો તેને અબાધિત અધિકાર છે. પહેલાં સ્પેક્ટ્રમની બાબતમાં જે બન્યું એ હવે કોલસાની બાબતમાં બની રહ્યું છે. ‘કેગ’ના હેવાલ મુજબ કેન્દ્ર સરકારે ઇ. સ. ૨૦૦૬ અને ૨૦૧૨ના જાન્યુઆરી મહિના વચ્ચે કોલસાની ૧૪૮ ખાણોની લહાણી કરી હતી, જેમાંથી કુલ ૪૧ અબજ ટન કોલસો મળે તેમ હતું. આ લહાણી જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે કોઈ પણ જાતનાં ટેન્ડરો મંગાવ્યા વિના ‘વહેલો તે પહેલો’ના ધોરણે કરવામાં આવી હતી.

ભારતની ભૂમિના પેટાળમાં આશરે ૨૮૬ અબજ ટન કોલસો હોવાનો અંદાજ છે. આ પૈકી ૪૧ અબજ ટન એટલે કે લગભગ ૧૫% કોલસો કેન્દ્ર સરકારે મફતમાં આપી દીધો. કોઈ ખાણમાં જેટલો કોલસો હોય તે બધો બહાર કાઢી શકાતો નથી પણ તેમાંથી ૮૦થી ૯૫% કોલસો જ બહાર કાઢી શકાય છે. આ ગણતરીએ જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ આશરે ૩૨ અબજ ટન કોલસો જમીનમાંથી બહાર કાઢીને તેનું વેચાણ કરી શકે તેમ છે. સરકાર હસ્તકની ‘કોલ-ઈન્ડિયા’ કંપનીએ છેલ્લાં સાત વર્ષમાં જેટલા કોલસાનું ઉત્પાદન કર્યું છે તેના કરતાં આ જથ્થો ૮૩ ગણો વધુ છે.

ખાનગી કંપનીઓને કોલસાના બ્લોકની મફતમાં લહાણી કરવા પાછળ એવું લોજીક કામે લગાડવામાં આવ્યું હતું કે સરકારી માલિકીની ‘કોલ-ઈન્ડિયા’ કંપની દેશની જરૂરિયાતોને સંતોષે એટલા કોલસાનું ઉત્પાદન ન કરી શકતી હોવાથી જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને મફતમાં કોલસાની ખાણો આપી દેવામાં આવી છે, જેથી દેશનું કોલસાનું ઉત્પાદન વધી શકે અને હાલમાં દેશમાં ઊર્જાની જે કટોકટી પેદા થઈ છે, તેમાંથી દેશ બહાર આવે.

‘કેગ’ના હેવાલ મુજબ કોલસાના જે કુલ ૧૪૮ બ્લોકની લહાણી કરવામાં આવી તે પૈકી ૨૫ ખાનગી કંપનીઓને કોલસાના ૫૭ બ્લોકની તદ્દન મફતમાં ફાળવણી કરવામાં આવી હતી. આ બધી કંપનીઓ સ્ટીલ અથવા પાવર સેક્ટરની હતી. ‘કેગ’ દ્વારા જે ૧.૮૬ લાખ કરોડની નુકસાનીનો અંદાજ મેળવવામાં આવ્યો છે તે આ ખાનગી ક્ષેત્રની કંપનીઓને ફાળવવામાં આવેલા બ્લોક્સને લક્ષમાં રાખીને મેળવવામાં આવ્યો છે. તેમાંથી જાહેર ક્ષેત્રની કંપનીઓને બાકાત રાખવામાં આવી છે. આ નુકસાન ગણવા માટે તેમણે ઇ. સ. ૨૦૧૦-૧૧ના કોલસાના ભાવો ગણતરીમાં લીધા છે.

કેન્દ્ર સરકારની માલિકીની કંપની ‘કોલ ઈન્ડિયા’ ઈ.સ. ૨૦૧૦-૧૧ દરમિયાન સરેરાશ ૧૦૨૮.૪૨ રૂપિયે ટનના ભાવે બજારમાં કોલસો વેચતી હતી. આ કોલસાનું ઉત્પાદન કરવા માટે તેણે ટેન દીઠ સરેરાશ ૫૮૩.૦૧ રૂપિયાનો ખર્ચો કરવો પડતો હતો. આ ઉપરાંત ટન દીઠ ૧૫૦ રૂપિયાનો ખર્ચ તેમને મૂડીરોકાણ સામે આવતો હતો. આ ખર્ચને બાદ કરતાં કોલ ઈન્ડિયા કંપનીને ૨૯૫.૪૧ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. કેન્દ્ર સરકારે જે કંપનીઓને કોલસાની ખાણોની લહાણી કરી છે, તેઓ પણ ટન દીઠ ૨૯૫.૪૧ રૂપિયાની ચોખ્ખી કમાણી કરી શકે તેમ છે.

જે ૨૫ કંપનીઓને કોલસાના ૫૭ બ્લોકની ફાળવણી કરવામાં આવી તેમાંથી તેઓ ૬.૨૮૨ અબજ ટન કોલસાનું ઉત્પાદન કરી શકશે, એવો અંદાજ ‘કેગ’ દ્વારા બાંધવામાં આવ્યો હતો. આ જથ્થાને ૨૯૫.૪૧ રૂપિયા સાથે ગુણવામાં આવે એટલે ૧,૮૫,૫૯૧ કરોડ રૂપિયાનો તોતિંગ આંકડો મળે છે. ‘કેગ’ દ્વારા સરકારી તિજોરીને આટલું નુકસાન જવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. જો ભવિષ્યમાં કોલસાના ભાવો વધે તો આ અંદાજ પણ વધી શકે છે.

‘કોલગેટ’ બાબતમાં ‘કેગ’ દ્વારા અગાઉ જે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં આશરે ૧૦.૭ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો. તેમાં ખાનગી કંપનીઓ ઉપરાંત જાહેર ક્ષેત્રની કંપનીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. જાહેર ક્ષેત્રની કંપનીઓને થનારો ૫.૯ કરોડ રૂપિયાનો નફો તેમાંથી બાદ કરવામાં આવ્યો હતો. આ વખતે ‘કેગ’ દ્વારા કુલ ૭૬ બ્લોકની ગણતરી કરવામાં આવી હતી, જેની ફાળવણી ખાનગી કંપનીઓને કરવામાં આવી હતી. આ પૈકી ૧૯ બ્લોક્સમાં ભૂગર્ભમાં ખાણકામ થવાનું હતું. ભૂગર્ભમાં ખાણકામને કારણે દેશની તિજોરીને કેટલું નુકસાન જશે તેની કોઈ પ્રમાણભૂત માહિતી ‘કેગ’ પાસે ન હોવાથી આ ૧૯ બ્લોક્સની ગણતરી પણ કરવામાં આવી નહોતી. આ કારણે સંભવિત નુકસાનનો આંકડો ૧૦.૭ લાખ કરોડથી ઘટીને ૧.૮૬ લાખ કરોડ ઉપર આવી ગયો હતો.

૧.૮૬ લાખ કરોડ રૂપિયાના કોલસા કૌભાંડમાં જે કંપનીઓને ફાયદો થયો છે તેમાં ટાટા સ્ટીલ, એસ્સાર પાવર, અદાણી પાવર, ઝિંદાલ સ્ટીલ એન્ડ પાવર, ઉષા માર્ટીન, રૂંગટા માઈન્સ વગેરે જાણીતી કંપનીઓ પણ છે. ટાટા સ્ટીલ કંપનીને કોલસાના ત્રણ બ્લોક મફતમાં ફાળવવામાં આવ્યા છે, જેમાં તેને ૨૫૪ કરોડ રૂપિયાનો નફો થવાનો છે. ઝારખંડમાં અભિજીત ઇન્ફ્રાસ્ટ્રકચર નામની કંપનીને ત્રણ બ્લોક્સની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી તેમને ૫૨ કરોડ રૂપિયાનો નફો થવાનો છે. આ કંપની કેન્દ્રના વર્તમાન કોલસા પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલના કોઈ સગાંની છે. આ બધી જ કંપનીઓ સામે ટૂંક સમયમાં સરકારી તિજોરીને લૂંટવા બદલ સીબીઆઈ ફરિયાદ દાખલ કરે તેવી સંભાવના છે.

કેન્દ્ર સરકારે જે કંપનીઓને મફતમાં કોલસાની લહાણી કરી છે, તેમાંની અનેક કંપનીઓએ હજી કોલસાનું ઉત્પાદન શરૂ નથી કર્યું ત્યાં નફો ગાંઠે બાંધી લેવાની શરૂઆત કરી દીધી છે. ૨-જી સ્પેકટ્રમ કૌભાંડમાં બન્યું હતું તેમ આ કૌભાંડમાં પણ બની રહ્યું છે. વિદર્ભમાં કોલસા બ્લોકની પ્રાપ્તિ કરનારી બી.એસ. ઇસ્પાત નામની કંપનીના ત્રણ માલિકોએ ૨૮૦ કરોડ રૂપિયાનો નફો કરીને પોતાની કંપની જ વેચી મારી છે. 

વીરાંગના ઈસ્પાત અને ગ્રેડ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીઓએ પોતાને મફતમાં મળેલા કોલસાના બ્લોક ઊંચી કિંમતે વેચી માર્યા છે. હજી કેન્દ્ર સરકાર એવો દાવો કરે છે કે તેણે આ સમગ્ર મફતિયા ફાળવણી માત્ર દેશની ઊર્જા સમસ્યા હલ કરવાની શુભ ભાવનાથી કરી છે. આ સરકાર ઉપર ભરોસો કેવી રીતે રાખી શકાય?

આ પરિસ્થિતિ મતદારો ક્યાં સુધી જોયા કરશે!

પ્રજાજનો પોતે જ મોટા પાયે હાલની પદ્ધતિ બદલવા માટે ચળવળ નહીં ઉપાડે ત્યાં સુધી હાલની પદ્ધતિમાં ફેરફાર થવો મુશ્કેલ છે. આ પદ્ધતિ બદલવા માટે જેમ આપણા વડવાઓએ બ્રિટિશ શાસન સામે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે ચળવળ ઉપાડી હતી તે જ જોશ, ધગશ અને નિઃસ્વાર્થ વૃત્તિથી આગળ આવવાની જરૂર છે. ફક્ત હાલની શાસન પદ્ધતિની ટીકા કરતા રહેવાથી કશું જ નહીં વળે. આ પરિવર્તન લાવવા માટે આપણે સૌએ ભેગા થઇને સંસદસભ્યો ઉપર દબાણ લાવવું પડશે યાતો એક એવા પક્ષની સ્થાપના કરવી પડે કે જેનું મુખ્ય ધ્યેય સત્તા પ્રાપ્ત કરવા માટે નહીં, પણ હાલની પદ્ધતિમાં યોગ્ય ફેરફાર કરવાનું જ હોવું જોઇએ. એ એક હકીકત છે કે આ દેશમાં સામાન્ય જનતા ‘સેલિબ્રિટી’થી વધારે દોરવાતી રહી છે. જેમ કે આંધ્રમાં જાણીતા ફિલ્મસ્ટાર એન.ટી. રામરાવે તેલગુ દેશમ નામનો પક્ષ સ્થાપી રાજકારણમાં ઝંપલાવ્યું અને પહેલી જ ચૂંટણીમાં જંગી બહુમતી પ્રાપ્ત કરી સરકાર સ્થાપી તેવી જ રીતે એમ.જી. રામચંદ્રનને ડી.એમ.કે. સાથે મતભેદ થતા એ આઇ.ડી.એમ.કે. નામનો નવો પક્ષ સ્થાપી પહેલી ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવામાં સફળતા મેળવી. (શ્રી એમ.જી. રામચંદ્રનને અવસાન પામ્યાને વર્ષો વીતી ગયા પછી આજે પણ એ.આઇ.ડી.એમ.કે. પક્ષ ચૂંટણી સમયે બેનરોમાં શ્રી એમ.જી. રામચંદ્રનની તસ્વીરને સામેલ કરે છે.) આજે જાણીતા ફિલ્મસ્ટાર રજનીકાંતના પક્ષને પણ વ્યાપક સમર્થન મળ્યું છે. બહુ ઓછા દેશોમાં આવું થતું જોવામાં આવ્યું છે. આજે આમીર ખાન કે રજનીકાંત જેવા ફિલ્મ સ્ટારો કે બાબા રામદેવ કે અણ્ણા હઝારે અને તેમના ટેકેદારો વગેરે સૌએ હાલની રાજકીય શાસન પદ્ધતિના વિકલ્પની ચર્ચામાં ધ્યાન પરોવી લોકોને માર્ગદર્શન આપી આવા પક્ષના સૂત્રધાર તરીકેનો ભાગ ભજવી આવી ચળવળને આગળ ધપાવવાની જરૂર છે.

શ્રીમંત રાષ્ટ્રોની શ્રીમંતાઈ!! [ઘણા માનવી બોલીને દુઃખ વેઠતા હોય છે.]

રાજકીય ઘમસાણમાં એક નાનકડા સમાચાર હતા તેના તરફ કોઈનું ધ્યાન બહું ખેંચાયું નથી. ભારતે ઈટલીને મદદ કરવા અને નાણાકીય સહાય પૂરી પાડવા વચન આપ્યું છે!! ઘરના ઠેકાણા નથી તેવે વખતે યુરો ડોલરના રાષ્ટ્રોને તેમની નાણાકીય કટોકટીમાં મદદરૂપ બનવા ભારતે પ્રયાસ શરૂ કર્યા છે.


યુરોપના તમામ રાષ્ટ્ર અને અમેરિકા દેવામાં ગળાડૂબ છે. યુરોપના આવા રાષ્ટ્રોએ પહેલાં તો સંસ્થાવાદ એટલે કે અન્ય રાષ્ટ્રોને ગુલામ બનાવીને અઢળક સંપત્તિ લૂંટી હતી. ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા ઉદ્યોગો- રેલવે વિકસાવીને સંસ્થાનોનું શોષણ કર્યું. તેમની કુદરતી સંપત્તિ સાથે ત્યાં રહેલી શ્રમશક્તિનું પણ શોષણ કર્યું હતું.

આવા યુરોપના લોકોએ વૈભવી જીવનશૈલી વિકસાવી હતી. આજે હવે તેમને આવું પોસાય તેવું રહ્યું નથી. કારણ કે ઉત્પાદન ખર્ચા વધ્યા છે અને મૂડીરોકાણની પણ મર્યાદા આવી ગઈ છે. હવે આવા દેશો દેવાળા કાઢવાની અણીએ પહોંચી ગયા છે. આથી સમગ્ર વિશ્વમાં મદદનું શકોરું લઈને ફરી રહ્યા છે.

યુરોપિયન કમિશન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને યુરોપની મધ્યસ્થ બેન્ક તેમને મદદ કરવા આગળ આવી રહી છે. પરંતુ તેઓ નાણાં આપે તે પહેલાં કેટલીક શરતો છે. તેમાં સરકારી ખર્ચામાં કાપ, વેતન અને પેન્શન ઘટાડવા, સામાજિક સુરક્ષાના ખર્ચા ઓછા કરવા વગેરે છે. આથી ત્યાં ઘણા બેકાર બની જશે.

હાલમાં ગ્રીસ- પોર્ટુગલ અને આયર્લેન્ડમાં બેકારીનો દર ૧૪ ટકા છે. યુરોપના અન્ય રાષ્ટ્રની હાલત સંતોષકારક નથી. છતાં એમ કહી શકાય કે બાંધી મુઠ્ઠી છે. પરંતુ આવું કયા કારણથી થયું છે? એક જ જવાબ છે કે ઉધારીમાં થતો ધંધો છેવટે ખોટમાં હોય છે. આજે રોકડા કાલે ઉધારની નીતિ જ વ્યાજબી છે.

ગ્રીસનું ઘરગથ્થું ઉત્પાદન ૩૦૩ અબજ ડોલર છે અને તેનું દેવું ૪૮૯ અબજ ડોલર છે. આનો અર્થ એ થયો કે તેના પર માથાદીઠ ૩૫,૮૭૪ ડોલરનું દેવું છે. ક્યારે તે દેવું ભરપાઈ થશે? વ્યાજ અને ઉકરડો એ બેને કોઈ પહોંચી વળી શકતું નથી. જેઓ વ્યાજ ભરે છે તેમને તે વાતની જાણકારી છે.

ભારતમાં પ્રત્યેક નાગરિક પર માથાદીઠ ૭૨૨ ડોલરનું દેવું છે. તેના પરથી દાખલો લેવાની જરૂર છે. વિકાસની વ્યાખ્યા કેવી આભાસી છે કે અમેરિકા નાગરિકોએ કર ભર્યા પછી ૧૦૦.૫ ટકા ખર્ચ કર્યો હતો. આનો અર્થ એ થયો કે તેમણે દેવું કરીને ખર્ચા કર્યા હતા.

અમેરિકામાં દરેક વસ્તુ ઉધારીમાં હપ્તેથી મળે છે. મોટર અને મકાન પણ ઉધારીમાં મળે છે. એટલું જ નહીં વેકેશનમાં ફરવા જવા માટેના નાણાં પણ આપે છે. પછી નિરાંતે હપ્તા ભરવાના રહે છે!! જે કદાચ મહિનાઓ સુધી ચાલે છે. પછેડી તેવડી સોડ તાણવી તે બાબત તેમની જીવનશૈલીમાં કયાંય ફીટ બેસતી નથી.

હવે આ તમામનું ધ્યાન ભારત- ચીન જેવા રાષ્ટ્ર પર છે અને આ બંને રાષ્ટ્રના નાગરિકોને દેવું કરવાની આદત પાડવામાં આવી રહી છે. કહેવાનું એટલું જ છે કે જે પશ્ચિમી રાષ્ટ્રોના- તેના વિકાસ અને સંસ્કૃતિના હમણાં સુધી પેટ ભરીને વખાણ થતાં હતા તે આવા દેવાળિયાં કેમ બની ગયા?

પરંતુ ચીન દ્વારા ખૂબ જ સાવધાની અને સતર્કતા રાખવામાં આવી છે. તેની અર્થવ્યવસ્થામાં લોખંડી આર્થિક શિસ્ત છે. વળી શાસન વ્યવસ્થા સામ્યવાદી હોવાથી તેઓ પોતાના નિર્ણયનો અમલ પણ શિસ્ત સાથે કરાવી શકે છે. ભારત કયા માર્ગે છે તે નાગરિકોએ નક્કી કરવાની વાત છે. ભારતનું બાહ્ય દેવું વધી રહ્યું છે.

સમગ્ર વિશ્વનું અર્થતંત્ર હાલકડોલક થઈ રહ્યું છે. કોઈપણ એક આર્થિક વિચારધારા સફળ છે તેમ કહી શકાય તેવું નથી. અલબત્ત વૈદિક અર્થશાસ્ત્ર આજે પણ તેટલું જ ઉચિત અને યોગ્ય છે. પરંતુ તે દિશામાં જવા માટેના ઘણા અવરોધ છે. આ તમામ અવરોધ ક્રમશઃ દૂર કરવાની આવશ્યકતા છે.

આર્થિક- સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસારની આર્થિક નીતિ હોવી જોઈએ. આયાત કરવામાં આવેલી આર્થિક નીતિ દેવાળા તરફ લઈ જાય છે. કારણ કે તેમને કોઈ ‘લોકલ ટચ’ હોતો નથી. આવી બાબતને સમજવાની અને વ્યવહારું રીતે અમલમાં મૂકવાની જરૂર છે.

Wednesday, August 22, 2012

इंटरनेट की ताकत का दुरुपयोग

सोशल मीडिया के तमाम मंचों की ताकत आजकल उसकी बड़ी कमजोरी के रूप में देखी जा रही है। असम हिंसा, म्यांमार में मुस्लिम समुदाय के लोगों पर अत्याचार और मुंबई व कई अन्य शहरों में प्रदर्शन के बीच सोशल मीडिया और मोबाइल एसएमएस के जरिए पूर्वोत्तर के लोगों को जिस तरह निशाना बनाया गया वह अपने आप में न केवल बेहद संवेदनशील मामला है, बल्कि चेताने वाला है। पूर्वोत्तर के लोगों को धमकाने के लिए फेसबुक, ट्विटर और यूट्यूब जैसे मंचों का इस्तेमाल सोशल मीडिया आतंकवाद के नए ट्रेंड की तरफ इशारा कर रहा है। सोशल मीडिया से फैलती अफवाहें कोई नई बात नहीं है। बड़ी हस्तियों के निधन की फर्जी खबरें तो लगातार सामने आई हैं। वैंकूवर में फुटबॉल मुकाबले और लंदन में दंगों के दौरान सोशल मीडिया के जरिये अराजक तत्वों द्वारा घिनौना खेल खेलने का मामला सामने आया था। बीते साल मैक्सिको में हुई घटना के बाद गृह सचिव ने ट्विटर टेरेरिज्म का पहली बार सही मायने में जिक्र भी किया था। वहां एक स्कूल में बच्चों का अपहरण होने और बंदूकधारी द्वारा गोलियां चलाए जाने की खबर ट्विटर पर प्रसारित हुई तो लोगों के बीच भगदड़ मच गई। कई माता-पिता ने अपने बच्चों को सुरक्षित देखने के लिए सड़कों पर फर्राटा कार दौड़ाई। इस वजह से कई सड़क दुर्घटनाएं हुईं और कई लोग घायल हो गए। आपातकालीन फोन लाइन जाम हो गई। हालांकि आरोपितों का कहना था कि उन्होंने वही लिखा जो इंटरनेट पर देखा-पढ़ा। सूचनाओं के बिना फिल्टर हुए प्रसारित होने के गुण-दोष के बीच ट्विटर टेरेरिज्म या सोशल मीडिया टेरेरिज्म एक नए किस्म का जुमला था, लेकिन अब आशंका सही साबित होती दिख रही है। असामाजिक तत्व बाकायदा रणनीतिक तरीके से सोशल मीडिया का इस्तेमाल भय-दशहत और आतंकवाद फैलाने के लिए कर रहे हैं। असम हिंसा के साये में पूर्वोत्तर के लोगों के खिलाफ साइबर अभियान इसी का नतीजा दिखता है। भारत में पहली बार सोशल मीडिया की ताकत नकारात्मक रूप में इस तरह सामने आई है और इस लिहाज से सोशल मीडिया के दुरुपयोग से जुड़े सवालों और इस समस्या से निपटने के समाधानों पर बहस जरूरी है। कानून की बात करें तो आइटी एक्ट 2008 में हुए संशोधन के मुताबिक सेक्शन 66-ए में प्रावधान है कि सोशल मीडिया के तहत सामाजिक माहौल को बिगाड़ने वाली अफवाहें फैलाने वाले के खिलाफ कार्रवाई हो सकती है। जुर्म साबित होने पर तीन साल की सजा भी हो सकती है, लेकिन क्या ऐसे लोगों को पकड़ना आसान है? सोशल मीडिया आतंकवाद के मद्देनजर इस समस्या को देखें तो सोशल मीडिया आतंकवादी तो इस तरह की अफवाहों को रणनीतिक तरीके से पैदा करेंगे, जबकि नादानी या अज्ञानता की वजह फैलाने में सहयोग आम लोग ही देंगे। सोशल मीडिया की ताकत की तरह उसका भयंकर दुरुपयोग संभव है और इस दुरुपयोग को रोकने के लिए सरकारी स्तर पर भी रणनीतिक तैयारी जरूरी है। अलबत्ता सोशल मीडिया पर प्रतिबंध की बात न केवल अव्यावहारिक है, बल्कि अधूरी समझ का नतीजा है। सवाल है कि क्या फेसबुक, ट्विटर और यूट्यूब आदि सोशल मीडिया के मंचों पर पाबंदी लगा देने से भारत में अफवाहों का दौर रुक जाएगा? क्या सैकड़ों महत्वपूर्ण काम, जिनके संचालन में सोशल मीडिया के मंचों की अहम भूमिका है, इससे प्रभावित नहीं होंगे? क्या इससे अंतरराष्ट्रीय मंचों पर भारत की छवि प्रभावित नहीं होगी? क्या यह सवाल नहीं उठेगा कि सूचना तकनीक के क्षेत्र में अग्रणी भारत के पास अफवाहों को रोकने के लिए सोशल मीडिया पर पाबंदी के सिवाय कोई दूसरा उपाय नहीं है? फिर कई तकनीकी सवाल अलग हैं। सही मायने में पुलिस का एक विभाग इस बात के लिए आने वाले दिनों में तैयार रहना चाहिए कि वह सोशल मीडिया पर फैलती अफवाहों से फौरन निपटे। सोशल मीडिया का सटीक इस्तेमाल अब पुलिस व दूसरी सरकारी एजेंसियों को सीखना होगा। सिर्फ अफवाहें ही नहीं, बल्कि सोशल मीडिया पर लिखे-कहे जा रहे उन शब्दों पर लगातार निगरानी की जरूरत है जो देश की अखंडता को तार तार कर सकती हैं। लोगों के हाथ में इंटरनेट और सोशल मीडिया के रूप में अपार ताकत दी गई है, लेकिन इस ताकत को संचालित करने के लिए जरूरी ट्रेनिंग नहीं दी गई। यह सवाल इसलिए भी महत्वपूर्ण है कि सोशल मीडिया के तमाम मंचों पर सबसे अधिक सक्रिय किशोर और युवा हैं। सोशल मीडिया पर अफवाह जंगल में आग की तरह फैलती है। भारत में अभी सोशल मीडिया पर सक्रिय उपभोक्ताओं की संख्या सात-आठ करोड़ के करीब है और अभी ही हम इसकी नकारात्मक ताकत के आगे जूझते दिखाई दे रहे हैं। ऐसे में अगर यह आंकड़ा पचास करोड़ के आसपास हुआ तो इस तरह की अफवाहों से होने वाले नुकसान का हम आकलन भी नहीं कर सकते। असम की आग को फैलाने के लिए सोशल नेटवर्किंग साइट को जिम्मेदार कहना ठीक नहीं है। सोशल मीडिया के मंच सिर्फ माध्यम भर हैं। महत्वपूर्ण बात इनके जरिए संदेश भेजने वालों की नीयत का है। सवाल देश की साइबर सुरक्षा की जिम्मेदारी संभाले तकनीकी टीम के कौशल का है। असम संकट के दौर में सोशल मीडिया के जरिए हुए गड़बड़झाले के गहरे निहितार्थ हैं, जिन्हें अब कायदे से समझ लेना चाहिए।