Wednesday, October 19, 2011

જમાનાથી જુદી વાટ કેમ ના પકડીય ?

હમણાં એક સમાચાર આવ્યા હતા કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અર્થાત પુરાતત્ત્વ વિભાગમાં અનેક સારી નોકરીઓ હોવા છતાં યોગ્ય ઉમેદવારો મળતા નથી. માનવ સંશાધનની આ ખેંચને કારણે દેશનાં કેટલાંય ભવ્ય સ્થાપત્યોની અપેક્ષા મુજબની જાળવણી થઈ શકતી નથી. આના પરથી એક વાત મનમાં આવવી જોઈએ કે શા માટે દરેક વિદ્યાર્થીએ એવો અભ્યાસ જ કરવાનો જે આજકાલ ટ્રેન્ડ છે એવી વ્યાખ્યામાં બેસતો હોય વરસો પહેલાં બધાને ડોક્ટર કે એન્જિનિયર થવું હતું, પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનો ટ્રેન્ડ આવ્યો. હવે જાતજાતના એમબીએના કોર્સ ડિમાન્ડમાં છે. સૌ કરે છે તેથી મારા પરિવારના વિદ્યાર્થી બાળકે પણ આવું જ કરવાનું એ યોગ્ય છે ખરું? એવું કરીને આપણે પોતે જ નવી પેઢીને એ વિશ્વમાં ધકેલતા નથી જ્યાં સફળ વ્યવસાયિક થવા માટે કટ્ટર સ્પર્ધાનો સામનો કરવો પડે? તેની બદલે જમાનાથી જુદી વાટ કેમ ના પકડી શકાય એવો અભ્યાસ, એવા કામ, એવી દિશા અને એવા વિચાર શા માટે અપનાવી ના શકાય જે અસામાન્ય હોય? જુદા થવા માટે જુદી રીતે જ આગળ વધવું પડે છે એ કોણ જાણતું નથી? ટ્રેન્ડ તો જાણે સમજ્યા, જિંદગીના આનંદનું, ઓછી સ્પર્ધાનું અને ભરપૂર સંતોષનું પણ ક્યારેક વિચારવાનું કે નહીં? 

No comments:

Post a Comment