Saturday, September 17, 2011

‘જાગતે’ રહો...

જાગી ગયા છીએ, જાગતા જ રહીએ, 

અણ્ણાને સાથ આપતા જ રહીએ. 

આપણા માટે તેઓ ‘ગાંધી’ છે, 

જનવિરોધીઓ માટે ‘આંધી’ છે. 

એક થયા છીએ, એક જ રહીએ, 

ઈમાનદાર ને નેક જ રહીએ. 

‘ઊંઘતાઓ’ને જગાવી દઈએ, 

બેઈમાનોને ફગાવી દઈએ, 

ભ્રષ્ટાચારીઓને ભગાવી દઈએ. 

દિલ સરફરોશીથી ‘સજાવી’ દઈએ. 

હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ,


ભારતીયો સઘળા ભાઈ-ભાઈ, 

ભ્રષ્ટાચારી સૌ મૂઆ કસાઈ, 
 

એમનાથી ના જઈએ ફસાઈ. 

સાવધાન રહીએ, જાગતા જ રહીએ, 

અણ્ણાને સાથ આપતા જ રહીએ, 

ભલાઈ એમાં આપણી જ છે, 

ભ્રષ્ટાચારીઓની ‘કાપણી’ જ છે. 

-હંસરાજ ભટ ‘આંધીપ્રેમી’

No comments:

Post a Comment