Thursday, September 15, 2011

તમે ૬ કરોડ ગુજરાતીઓને ગેરમાર્ગે દોર્યા‘ ભટ્ટનો મોદીને પત્ર

- સુ્પ્રિમના ચુકાદાનુ ગેરમાર્ગે દોરાનારુ અર્થઘટન કર્યું છે

૬ કરોડ ગુજરાતીઓને સંબોધી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ, છેલ્લા ૧૦ વર્ષથી પોતાના પર અને ગુજરાત સરકારને ખોટા આક્ષેપો કરી બદનામ કરવાનો કારસો રચાઈ રહ્યો હોવાનો ઉલ્લેખ કરતો પત્ર લખ્યાના બીજા જ દિવસે, મોદી સામે બાંયો ચઢાવનાર આઈ પી એસ અધિકારી સંજીવ ભટ્ટે તેમને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે ઝાકીયા ઝાફરીની સ્પેશીયલ લીવપીટીશનમાં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાનું તમે ખોટું અર્થઘટન કરી ૬ કરોડ ગુજરાતીઓને ગેરમાર્ગે દોરયા છે. એટલું જ નહીં પરંતુ સંજીવ ભટ્ટના પત્રમાં ૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થતાં નરેન્દ્ર મોદીના સદભાવના માટે ઉપવાસ અને ગોધરાકાંડ બાદના કોમી રમખાણોમાં તેમની ભૂમિકા અંગે પણ કટાક્ષ કરવામાં આવ્યા છે. 

સંજીવ ભટ્ટના પત્રના અંશો:

૧) ‘ મારા પ્રિય ભાઈ, ઝાકીયા નસીમ વિ. ગુજરાત રાજ્યની એસ એલ પી નંબર ૧૦૮૮ -૨૦૦૮માં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાનું તમે તદ્દન ખોટું અર્થઘટન કર્યું છે. એવું લાગે છે કે તમારી પંસદગીના સલાહકારોએ ફરી એકવાર તમને ગેરમાર્ગે દોર્યા છે અને તમે બદલામાં ૬ કરોડ ગુજરાતી કે તમને ચુંટાયેલા નેતા તરીકે જોઈ રહ્યા છે, તેમને ગેરમાર્ગે દોર્યા છે. ’

‘ કેટલાક રાજકીય પક્ષોમાં ઉજવણીનો માહોલ સર્જનાર આ ચુકાદાનું સાચુ અર્થઘટન હું તમને તમારા નાના ભાઈ તરીકે કરી આપું છું. તમે પત્રમાં લખ્યું હતું કે સુપ્રિમકોર્ટના ચુકાદાથી એક વાત સ્પષ્ટ છે કે ૨૦૦૨ના કોમી રમખાણો બાદ મારા ઉપર ખોટા આક્ષેપો કરી વાતાવરણ ખરાબ કરવા તેમજ ગુજરાતને બદનામ કરવા શરૂ થયેલા પ્રયાસોનો અંત આવ્યો છે..હું અહિંયા સ્પસ્ટતા કરી દઉં કે સુપ્રિમ કોર્ટે દૂર દુર સુધી એવા કોઈ સંકેતો નથી આપ્યા કે ઝાકીયા ઝાફરીની એસ એલ પીમાં કરેલા આક્ષેપો ખોટા છે. ’

‘ સુપ્રિમ કોર્ટે ન માત્ર ઝાકીયા ઝાફરીની એપ્લીકેશનને એલાઉ કરી છે પરંતુ સીટને તેમની એપ્લીકેશનને એફ આઈ આર તરીકે ગણી, તેમાં સી આર પી સીની કલમ ૧૭૩(૨) અંતરગત રિપોર્ટ ફાઈલ કરવા જણાવ્યું છે. તમારા અને તમારા ૬ કરોડ ગુજરાતી ભાઈઓના લાભ માટે હું સપ્ષ્ટતા કરી દઉં કે ૧૭૩(૨) હેઠળનો આ રિપોર્ટ ચાર્જશીટ કે પછી ફાઈનલ રિપોર્ટ તરીકે ઓળખાય છે.’

૨) ‘ ૬ કરોડ ગુજરાતીઓમાં ના એક તરીકે, હું બહું જ દુ:ખ અને છેતરાયેલો અનુભવું છું જ્યારે તમારા જેવા લોકો પોતાના હીત સાચવવા ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે. એડોલ્ફ હીટલરના નજીકના મનાતા પોલ જોસેફ ગોબેલ્સ દ્વારા આચરવામાં આવતી આ નીતી બહુમતી લોકો સાથે થોડા સમય સુધી કામ કરી શકે છે પરંતુ ઈતિહાસના આધારે કહી શકાય ગોબલેસીયન પ્રોપાગાન્ડા તમામ લોકોને દરેક સમયે મુર્ખ બનાવી શકતી નથી.’

૩) ‘ હું તમારી સાથે સહમત છું જ્યારે તમે કહો છે કે ‘નફરતને નફરતથી જીતી શકાય નહીં’, તમારાથી બહેતર આ વાતને કોણ જાણી શકે છે. દુભૉગ્યપણે મેં તમારી સાથે ૨૦૦૨ના એ દિવસોમાં નોકરી કરી છે કે જ્યારે નફરતનો નગ્ન નાચ ગુજરાતના જુદા જુદા ભાગોમાં કોરીયોગ્રાફ થઈ રહ્યો હતો. પરંતુ હું આ તબક્કે આપણી ભૂમિકાઓ વિષે વિસ્તારપૂર્વક જણાવવા માંગતો નથી. તે જણાવા માટે આપણા બંનેને યોગ્ય ફોરમ સમક્ષ સંપૂર્ણ તક મળશે, એ બાબતે આશ્વાસ્ત છું.’

૪) ‘ગુજરાતમાં શાંતી, એકતા અને ભાઈચારા અંગે તમે આદરેલા પ્રયાસથી હું ગદગદીત છું. નફરતથી પ્રરિત ભાગલાવાદી રાજકારણના પ્રયોગો ગુજરાતની લેબોરેટરીમાં સફળ રહ્યા છે. તમે અને તમારા જેવા લોકોએ સફળતાપૂર્વક ૬ કરોડ ગુજરાતીઓના દિલોદિમાગમાં નફરતના બીજા રોપ્યા છે.’
  • ૫) આપણા જેવી લોકશાહીમાં, દરેક વખતે અને દરેક સ્થિતિમાં રાજધર્મ નિભાવવું ફરજીયાત છે. ગત સાડાનવ વર્ષ દરમિયાન ઘણા મિત્રો ગેરમાર્ગે દોરાયા છે કે ૨૦૦૨ના રમખાણો, ગોધરા જે બન્યું તેના તુરંત પ્રત્યાઘાત હતા. ન્યુટનના નિયમનું આના કરતા વધારે દુરુપયોગ ક્યારેય ન થયો હોય.

2 comments:

  1. નરેન્દ્ર મોદી એક નંબરનો હરામી છે. ગુજરાતની મોટા ભાગની પ્રજા પણ હરામી છે, જે એને ચૂંટે છે. નરેન્દ્ર મોદીએ સૌથી વધારે સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો છે. બધા કલેક્ટરો, મામલતદારો, ટી.ડી.ઓ., ચીફ ઓફીસરો તથા બધા સરકારી અધિકારીઓને રાજકારણીના નોકર બનાવી દીધા છે.

    ReplyDelete
  2. thank's for comment
    -Agnatji,
    Himat vagarni mazani Comment.

    ReplyDelete