Thursday, November 3, 2011

ધરતીના પેટાળમાંથી ઉલેચાયું છે તેનાથી ક્યાંય વધારે સોનું માણસના વિચારોમાંથી મળ્યું છે. - નેપોલિયન હિલ


  • જમીનના એક વિશાળ પણ ખુલ્લા પ્લોટ પર ઉત્કૃષ્ટ ઈમારત બાંધવા માટે શાની જરૂર પડે? સૌથી પહેલા તો વિચારની જ પડે. નવલકથા લખવા માટે, ગીત સર્જવા માટે, ચળવળ ચલાવવા માટે અને પરિવર્તન લાવવા માટે, દરેક માટે શરૂઆત તો એક વિચારથી જ થઈ શકે છે. વિચારથી વધુ અમૂલ્ય જગતમાં કાંઈ ના હોઈ શકે. આટલું જેને સ્વીકાર્ય હોય તે માણસે શાના પર વધુ સમય ખર્ચવો જોઈએ? બેશક, વિચાર કરવા પાછળ જ. જીવનમાં જ્યારે પણ એમ લાગે કે આપણે પાછળ રહી ગયા ત્યારે તરત યાદ રાખવાનું, ‘બીજાની જેમ વિચારી ના શક્યા તેનું આ પરિણામ છે’, તેમાં સુધારો ગમે ત્યારથી થઈ શકે છે. પ્રયત્નોથી માણસ કોઈપણ કાર્ય શીખી શકે છે તેમ યોગ્ય રીતે વિચારતા પણ બેશક શીખી શકે છે. સારી સંગત રાખો, સારું વાચન કરો, સારી વાણી કેળવો અને સારું વિચારવામાં સહાય કરે તે દરેક વાતને અપનાવી લો. જૂની વિચારસરણીથી નવા વિચારો સુધી પહોંચવામાં પડતી તકલીફોને પણ ખમી લો. એકવાર આ સોનું હાથ લાગવાની શરૂઆત થશે પછી કોઈ આગળ વધતા અટકાવી શકશે નહીં. વિચારી તો જુઓ. 

No comments:

Post a Comment