Monday, February 7, 2011

‘નીતિન-નારાયણ પટેલે હિંસા,મહિલા પર જાતીય હુમલાની આગેવાની લીધી હતી?’

પ્રશ્ન : તે સમયે સરકારમાં મંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલ અને નારાયણ લલ્લુભાઈ પટેલે અનુક્રમે કડી અને ઊંઝામાં હિંસા, આગજની અને મહિલાઓ પર જાતીય હુમલાની આગેવાની લીધી હતી ?

મોદી : આ વાહિયાત આક્ષેપ છે. આવી કોઈ ઘટના ક્યારેય બની જ નથી.

પ્રશ્ન : ૨૮-૦૨-૨૦૦૨ના રોજ અને ત્યારપછી થયેલી હિંસા દરમિયાન જયદીપ પટેલ, બાબુ બજરંગી અને માયાબેન કોડનાની તમારા સંપર્કમાં હતાં?

મોદી : મને બાબુ બજરંગી અંગે મીડિયા મારફતે માલૂમ થયું અને તેને હું ઓળખતો નથી. ડૉ. માયાબેન કોડનાની ભાજપનાં ધારાસભ્ય છે અને તેઓ મને ઘણી વાર મળતાં હતાં. જયદીપ પટેલ વિહિપના નેતા છે જેમને પણ હું જાણું છું. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, હિંસા દરમિયાન તેમણે મને ક્યારેય ફોન પર સંપર્ક કર્યો નથી.

પ્રશ્ન : તત્કાલીન ધારાસભ્ય હરેશ ભટ્ટ, બાબુ બજરંગી અને અમદાવાદ શહેર વિહિપના પ્રમુખ રાજેન્દ્ર વ્યાસે આશિષ ખેતાનને આપેલા ઈન્ટરવ્યૂ જુઓ, જે તહેલકાના ૨-૧૧-૨૦૦૭ના વિશેષાંકમાં પ્રસિદ્ધ થયા હતા. તેમાં રજુ થયેલી વિગતો સાચી છે કે નહીં તે કહો.

મોદી : કોઈપણ વ્યક્તિ દ્વારા મારા પર લગાવાયેલા આરોપો ખોટા છે. આ ચોક્કસ મુદ્દો તહેલકા મેગેઝિન મારફતે ઘટનાના છ વર્ષ પછી નવેમ્બર-૨૦૦૭માં ઉઠાવાયો હતો અને એ પણ ચૂંટણીના સમયે જ ઉઠાવાયો હતો, ચૂંટણી ડિસેમ્બર-૨૦૦૭માં યોજાઈ હતી. આ જ મુદ્દો ફરી એપ્રિલ-૨૦૦૮માં સુપ્રીમ કોર્ટ દ્વારા સીટની નિમણુક કરવામાં આવી ત્યારે પણ ઉઠાવાયો હતો. ત્યારબાદ ફરી જ્યારે હું સીટ સમક્ષ ઉપસ્થિત થવાનો હતો ત્યારે આ સપ્તાહમાં ૨૨-૦૩-૨૦૧૦ના રોજ પણ આ મુદ્દો ઉઠાવાયો હતો. આ તમામ પરબિળોને ધ્યાનમાં લેતાં હું કહું છું કે સમગ્ર એપિસોડ ચોક્કસ હેતુ પ્રેરિત અને ગોઠવણ કરાયેલો છે. કહેવાતી સીડીની યથાર્થતા અંગે મને વ્યક્તિગત જાણકારી નથી.

તમારો મત....

શું ગોધરાકાંડની ઘટના પૂર્વઆયોજીત હતી? તમે આ સમગ્ર ઘટના અંગે કોને જવાબદાર ગણાવો છો? આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાતનું નામ વિશ્વભરમાં ખરડાયું હતુ. ત્યારે તમે શું લાગે છે કે આ ઘટનામાં જે લોકો દોષિત સાબિત થાય તેને શું સજા થવી જોઈએ, તમારો મત અમને નીચે આપેલ ફિડબેક બોક્સમાં લખીને મોકલો...

No comments:

Post a Comment