Monday, February 7, 2011

‘મને એહસાન જાફરીનો ફોન નહોતો આવ્યો’

-‘હું ભૂતપૂર્વ સાંસદ સ્વ. એહસાન જાફરીને ઓળખતો ન હતો’

પ્રશ્ન : ગુલબર્ગ સોસાયટી ખાતે એક ટોળાએ હુમલો કર્યો હોવાની તમને માહિતી મળી હતી? જો હા, તો ક્યારે અને કોના મારફતે મળી હતી ? તે અંગે તમે શું પગલાં લીધાં ?

મોદી : મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, મને રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પુન:સમીક્ષા બેઠક મળી તેમાં માહિતી અપાઈ હતી કે મેઘાણીનગર વિસ્તારમાં ગુલબર્ગ સોસાયટી અને નરોડા પાટિયા ખાતે હુમલો થયો છે.

પ્રશ્ન : તમે ગુલબર્ગ સોસાયટીમાં રહેતા ભૂતપૂર્વ સાંસદ સ્વ. એહસાન જાફરીને ઓળખતા હતા ?

મોદી : હું ભૂતપૂર્વ સાંસદ સ્વ. એહસાન જાફરીને ઓળખતો ન હતો કારણ કે તેઓ ૧૯૭૦ના દાયકામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને તે સમયે હું રાજનીતિમાં ન હતો. મને ત્યારબાદ કહેવાયું હતું કે ભૂતપૂર્વ સાંસદ સ્વ. એહસાન જાફરી ગુલબર્ગ સોસાયટીમાં રહેતા હતા અને ત્યાં થયેલા હુમલામાં તેમની હત્યા કરી દેવાઈ છે.

પ્રશ્ન : ભૂતપૂર્વ સાંસદ સ્વ. એહસાન જાફરીએ મદદ માટે ફોન પર તમારો સંપર્ક કર્યો હતો ? જો હા, તો તમે શું પગલાં લીધાં હતાં ?

મોદી : આ અંગે હું કહેવા માગું છું કે મારા પર કોઈ જ ફોન આવ્યો ન હતો.

No comments:

Post a Comment