Monday, January 10, 2011

- મોદી સરદાર પટેલની પ્રતિમા બનાવવાની વાતો કરે છે, પ્રફુલ્લે મૂકી બતાવી - દિનશા પટેલ


- એરપોર્ટના આંગણે સરદાર પટેલની ૧૮ ફૂટ ઊંચી પ્રતિમાનું

  અનાવરણ ૪૫ લાખના ખર્ચે પ્રતિમાનું નિર્માણ

  અ'વાદ એરપોર્ટ પર સરદારની પ્રતિમાનું અનાવરણ

દિનશા પટેલે કહ્યું હતું કે, સરદારની વાતો કરનારા જ ઘણીવાર સરદારને ભૂલી જાય છે, જે દુ:ખની વાત છે. નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની જાહેરાત કરી છે, ત્યારે પ્રક્ષ્લ્લે પ્રતિમા મૂકીને બતાવી દીધી છે. માત્ર વાતો કરવાથી કંઈ થતું નથી, તેનો અમલ થવો જોઈએ.

હરિનભાઈ પાઠકે કહ્યું હતું કે, સરદાર ગુજરાતના પનોતા પુત્ર છે અને તેમણે ભારતને અખંડ ભારત બનાવ્યું છે. તેથી તેમના નામ સાથે જોડાયેલા એરપોર્ટ પર આ પ્રતિમા મુકાતાં હું આનંદની લાગણી અનુભવું છું


પ્રતિમા બનાવવા ૮૫ ટકા કોપરનો વપરાશ
આ પ્રતિમાના નિર્માણ પાછળ એરપોર્ટ ઓથોરિટીએ ૪૫ લાખનો ખર્ચ કર્યો છે. તેનું નિર્માણ પદ્મશ્રી રામ વી. સુથારે કર્યું છે. તેઓ ૬૦ વર્ષોમાં ૧૫૦થી વધુ પ્રતિમાઓ બનાવી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રતિમા બનાવવા ૮૫ ટકા કોપરનો ઉપયોગ થયો છે, જ્યારે બાકી અન્ય ધાતુઓનું મિશ્રણ કરાયું છે. ઝડપથી પ્રતિમાનું કામ પૂરું કરવાનું હોવાથી બે દિવસ સુધી રાત-દિવસ મહેનત કરી છે.

- આવી પ્રતિમા માત્ર દેશની સંસદમાં છે: કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી

છ મહિનાની પ્રતીક્ષા બાદ અંતે અમદાવાદ એરપોર્ટના આંગણે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ થયું. કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી પ્રક્ષ્લ્લ પટેલે રવિવારે આ પ્રતિમાનું અનાવરણ કરતાં કહ્યું હતું કે, સરદારની પ્રતિમા મૂકવામાં વિલંબ થયો છે, પરંતુ આ પ્રતિમા બેજોડ છે. આવી પ્રતિમા માત્ર દેશની સંસદમાં છે, તેથી અમદાવાદ એરપોર્ટ પરની આ પ્રતિમા મુસાફરો માટે યાદગાર બની રહેશે. આ પ્રસંગે કેન્દ્રીય લઘુ અને મધ્યમ ઉદ્યોગમંત્રી દિનશા પટેલ અને સાંસદ હરિનભાઈ પાઠક પણ ઉપસ્થિત રહ્યા હતા.

No comments:

Post a Comment