Tuesday, October 18, 2011

જિંદગીનું ‘બેલેન્સ’ ક્યારેય ગુમાવવું નહીં!

આપણે ઘણીવાર બોલીએ છીએ, શ્વાસોચ્છવાસ - શ્વાસ એટલે જે બહારથી અંદર આવે છે, ઉચ્છ્વાસ એટલે જે અંદરથી બહાર જાય છે. શ્વાસ એ પ્રાણશક્તિનું ‘બાહ્ય’ રૂપ છે. શ્વાસ એ સ્થૂળ છે. પ્રાણ એ સૂક્ષ્મ છે. માટે જો શ્વાસોચ્છ્વાસ પર કંટ્રોલ આવે તો આ પ્રાણશક્તિ પર પણ કંટ્રોલ આવે. અને પ્રાણનો કંટ્રોલ એટલે જ મનનો કંટ્રોલ. મન કામ કરે છે કારણ પ્રાણ છે. આ પ્રાણના સ્પંદનથી જ મનમાં વિચારો આવે છે. માટે જ જો શ્વાસને નિયંત્રણમાં લાવો (પ્રાણાયામ) તો પ્રાણશક્તિ પર નિયંત્રણ આવે. જેમ સોનાને શુદ્ધ કરવા એની અશુદ્ધિ દૂર કરવા એને તપાવવામાં આવે છે એવી જ રીતે શરીર અને મનની અશુદ્ધિ દૂર કરવા એને પ્રાણાયામ દ્વારા તપાવવામાં આવે છે. માટે જ પ્રાણાયામને ‘તપ’ કહ્યું છે. પણ આ બધું ખરેખર સાધના માગી લે છે, આ કોઈ એક્સરસાઈઝ નથી. આ પ્રાણની અસર હૃદય, બ્લડપ્રેશર, પાચનક્રિયા, ઉત્સર્ગક્રિયા, લાળ, પિત્ત, વાત્ત, કફ, ચાલવા, રમવા, વાત કરવા, વિચારવા, લાગણી પર, ટૂંકમાં દરેક પર પડે છે. આમ શરીર, મન, આત્મા સુધી પહોંચવા પણ શ્વાસનો સહારો લેવાય છે. તે દ્વારા પ્રાણ સુધી પહોંચાય. શાંત ચિત્તે, ધીમે ધીમે શ્વાસને અંદર લો. (શરૂમાં રોકવો નહીં) અને એવી જ રીતે ધીરે ધીરે આ જ શ્વાસને બહાર કાઢો - પૂરા નિયંત્રણ સાથે. મનને શ્વાસ સાથે જોડેલું રાખો. નિયમિત રીતે આટલેથી શરૂઆત કરો.

ઘણી વાર આપણી અંદર જ ‘ઝઘડો’ ચાલતો હોય. આપણી અંદરના કોઈ અવયવને આરામ કરવો હોય, તે જ સમયે, બીજાને કામે લાગવું હોય આથી અસંતુલન વધે. આપણે અનુભવ કર્યો છે. ક્યારેક તો શરીર આરામ માગે, પણ મન કહેશે ના, હજી ઘણું કામ બાકી છે. આ મનને રોકવું અઘરું છે. ક્યારેક મન કહેશે ‘મૂડ’ નથી અને શરીરને કામ જ નહીં કરવા દે, આવા બધાં કારણોસર પણ માંદગી આવી શકે. ક્યારેક તાવ આવી જાય, ક્યારેક ‘રેસ્ટલેસ’ ફીલ થાય, આવે વખતે યોગ્ય કારણ જાણી બેલેન્સ સાધવું. આ માટે શાંતિ લાવવી જરૂરી છે. જસ્ટ રીલેક્સ. ક્યારેક ક્રોધ, આવેશ, અભિમાન, ગિલ્ટ, કપટ, માયા, લાલચ, લોભ જેવા ભાવોથી/ ફિલિંગ્સથી પણ માંદગી આવે. કારણ આ બધા નકારાત્મક પરિબળો પ્રાણશક્તિનો હ્રાસ કરે, અસંતુલન વધે અને માંદગી આવે. માટે જીવનનાં કોઈ પણ સંજોગોમાં આ ‘બેલેન્સ’ ન ગુમાવવું. જાગૃકતા રાખવી, ધ્યાન દઈ કરેક્ટીવ એકશન લેવા. એક પંચાવન વર્ષના ભાઈ, અમેરિકા વર્ષો સુધી હતા, પછી ભારત આવ્યા. ખાસ્સી મોટી ઉંમરે લગ્ન કર્યા, બે જ વર્ષમાં પત્ની સાથે ફાવ્યું નહીં, પણ ચલાવ્યું. (કારણ છૂટાછેડા લે તો મોટી રકમ આપવી પડે તેમ હતી) પણ પછી અસંતુલન વધ્યું, ખોટા નિર્ણયો લેવાવા લાગ્યા. એમની કરોડો રૂપિયાની મૂડી, મોટાં વ્યાજની લાલચે કહેવાતાં ‘મિત્રે’ પડાવી. જ્યારે આ ભાઈને જાણ થઈ ત્યારે તો બધું જતું રહેલું. ખૂબ ગ્લાનિ/દુઃખમાં રહેતાં. જાણે જીવન જ લૂંટાઈ ગયું. અંદરનું બેલેન્સ બગડવા લાગ્યું. ખૂબ પસ્તાવો થાય પણ પરિસ્થિતિનો ‘સ્વીકાર’ થાય નહીં. એમાં અધૂરામાં પૂરું ભયંકર બીમારી આવી, જે નાઈલાજ છે. કહેવાનો આશય એટલો જ કે જીવ બાળવો નહીં. એટલે કે પ્રાણશક્તિ કોઈ કાળે બળવા ન દેવી. એના વગર બધું નકામું. પૈસા ગયા, ભલે ગયા, કંઈક ‘શીખવીને’ ગયા ને? લગ્ન કર્યા એ ભૂલ થઈ એમ લાગે છે, ભૂલથી ગભરાવું નહીં ડોન્ટ રીપિટ. જાગૃકતા અને સ્વીકાર, યોગ્ય દિશામાં ફોકસ, જરૂરી બેલેન્સ લાવવું. આંતરિક સૂઝથી કરેકશન કરતાં જવું, આંતરિક બળ વધે, કરુણા, શાંતિ જેવા ગુણો કેળવવા. જીવન એટલે જ ચેલેન્જ. એમાં ક્યારેય મોડું થતું જ નથી. જાગ્યા ત્યારથી સવાર. નવજીવન મળ્યું છે માની, નવી ગોળી, નવો દાવ. નવચેતના લાવો. આ બધું સમજથી પોતે જ કરવું, ચાખવું, અનુભવવું. બીજા બધા મદદરૂપ થાય (ડોક્ટર, શિક્ષક, ગુરુ) પણ જવાબદારી ફક્ત પોતાની જ. અંદરની હિંમત ન ગુમાવાય. બીજાં એક બહેનની ઉંમર છે ૬૮ વર્ષ. પતિ ગુજરી ગયા છે, અઢળક સંપત્તિ છે, પતિના જીવતાં ખૂબ તાણા દબાવમાં રહ્યાં છે, પોતાની બધી શક્તિને કુંઠિત કરી નાખી છે. આજે બધા અનુકૂળ સંજોગો છે પણ અંદરની ‘શક્તિ’ મરી પરવારી છે. રૂટિન જીવન જીવે છે, ઉત્સાહ-ઉમંગ નથી. વર્ષોથી ટેબેલેટ્સના સહારે છે. આ બધી દવાઓ (બિનજરૂરી) પણ પ્રાણશક્તિને કુંઠિત કરી નાખે છે, પોતાની અંદરનો દીપક, જ્યોત કોણ પ્રગટાવે? આ દિવાળીની તૈયારીમાં અંદરની જ્યોતને પણ અજવાળીએ? ક્યાં સુધી બાહ્ય ભપકા, ખાણી, પીણી, ગિફ્ટ્સ પર જ ધ્યાન આપશું? ભલે આપીએ પણ સાથે સાથે પ્રાણશક્તિને પણ પ્રગટાવીએ. અઘરું છે, અફકોર્સ અઘરું છે પણ અશક્ય નથી જ. પહેલું સુખ તે જાતે નર્યા તો એવી સરસ જીવનશૈલી અપનાવીએ જેમાં ભૂતકાળ કે ભવિષ્યકાળનો કોઈ ભાર કે ડર ન હોય, ચિંતા ન જ હોય. વર્તમાનની મસ્તી સાથે પૂરતી સાવચેતી. આ દિવાળીમાં થોડા વધુ જાગૃત બનીએ. મેવા, મીઠાઈ, પકવાન જરૂર ખાઓ પણ માપમાં, શરીરનાં સિગ્નલ્સને જાણીને, જે ફાવે તે લઈ શકાય. ફટાકડાનાં પ્રદૂષણ અને હિંસાથી બચાય તેટલું સારું. ઘણાં દલીલ કરે છે, બાળકો તો ફટાકડા ફોડે જ ને! એને સાચી વાત જણાવો કે આનાંથી કેટલાં જીવોની હિંસા થાય છે, તો કોઈ બાળક જીદ નથી કરતું ઊલટું એના મિત્રોને પણ રોકે છે. એટલા પૈસાથી બીજા ગરીબ બાળકો માટે કપડાં, મીઠાઈ લઈ વહેંચવામાં એમને અતિશય આનંદ આવે છે. માટે બાળકોનાં નામે આળ ન ચડાવો. એમને સત્ય હકીકત જણાવો. ક્યારેક શંકા એ આવે છે કે ક્યાંક બાળકોનાં નામે આપણે જ આ બધું નથી કરતાં? આપણી જ અધૂરી ઈચ્છાઓ છે કે નહીં? આ સત્ય પણ સ્વીકારો અને બદલો જેથી પ્રાણશક્તિ ઘવાય નહીં.

ફોટો પડાવવા રસિયું દિવાળીઘોડો

ગયા મહિનાની વાત છે. સપ્ટેમ્બર મહિનાની પંદરમી તારીખ હતી. સાંજેે ચાર વાગ્યે ત્રણ ઇનોવામાં અઢાર જણનો અમારો કાફલો હરિયાણાના પીંજોરથી ઊપડયો. રસ્તામાં ચૈલ, સિમલા, સોલોન વગેરે વટાવી પહાડોના વાંકાચૂકા કઠીન રસ્તાઓ પસાર કરી અંધારી, સૂમસામ રાત્રિએ નવ વાગ્યે ૯૦૦૦ ફીટની ઊંચાઇએ આવેલા ફાગુ ગામ પહોંચ્યા. હિમાચલ પ્રદેશ ટુરિઝમની હોટેલમાં રાત્રે જમવાની અને રહેવાની વ્યવસ્થા અગાઉથી થઇ ગઇ હતી. શિયાળામાં આ આખો વિસ્તાર બરફથી ઢંકાઇ જાય છે. અત્યારે પણ કડકડતી ઠંડી હતી. ઓરડાઓમાં હીટર મૂકવામાં આવ્યા હતા. ડૉરીન ડીસા નામની સાહસિક યુવતીએ યોજેલો પ્રવાસ હતો. તેના પ્રવાસોમાં પગપાળા ટ્રેકિંગ અને પક્ષી, પતંગિયાં અને વનસ્પતિ અવલોકન ઉપર ધ્યાન અપાય છે. સાથે સ્થાપત્ય માટે જાણીતાં સ્થળો પણ તે શોધી કાઢે છે. અમારી સાથે સાત પારસી યુવતીઓ હતી. ગમે તેવા સાહસ માટે હંમેશાં તત્પર રહેતી હતી. મુંબઇના રાણીબાગના આધુનિકીકરણના ક્રૂર સપાટામાંથી બચાવનાર ‘સેવ રાણીબાગ કમિટી’નાં હુતૌક્ષી રૂસ્તમ ફરાન કેટી બગલી અને સુનંદા નિખારેને પણ હતાં. ભારતનાં પહેલાં ફીમેલ પ્લાસ્ટિક સર્જન ડૉ. મૃદુલા કિર્લોસ્કર પણ હતાં. સવારે ઊઠીને ગાડીઓમાં ગોઠવાઇને અમારે પાછી ચાર કલાકની મુસાફરી કરીને વધુ ઉત્તરમાં શારાહાન પહોંચવાનું હતું, પરંતુ સવારે હોટેલનાં ચોગાનમાં હલચલ મચી ગઇ. કાબર જેવા કદનું કાબરૂં પક્ષી ચોગાનમાં ફરતું હતું. સપ્ટેમ્બર- ઓકટોબરમાં પરદેશથી આવનારુંએ યાયાવર પક્ષી દિવાળીઘોડો કે ખંજન હતું. આ પક્ષીને મનુષ્ય સહવાસ ગમે છે. જંગલોથી દૂર રહે છે. તસવીરો પડાવવી પણ ગમે છે. ચેમ્બુરના સુભાષભાઇ ઠક્કર ઝડપથી તસવીરો ખેંચી રહ્યા હતા. આ પક્ષીનું પ્રચલિત નામ વ્હાઇટ વેગ ટેઇલ (રૂત્ર્જ્ઞ્દ્દફૂ ર્રૂીરં વ્઱્ીજ્ઞ્શ્ર) છે. શાસ્ત્રીય નામ પ્ંઁર્દ્દીણૂજ્ઞ્શ્રર્શ્રી ઱્ીશ્રર્ણુી છે. આપણે ત્યાં આવતી ચાર પ્રજાતિઓમાં બે (પ્. ફુ્યત્ત્ત્ર્્યઁસ્ર્ફૂઁસ્ર્જ્ઞ્સ્ર્ અને પ્. ષ્ટફૂશ્વસ્ર્઱્ંીઁર્જ્ઞ્દ્દી) સામાન્ય રીતે જોવા મળે છે. હજુ આ નર પક્ષીએ લગ્નનો વેષ ત્યજ્યો ન હતો. સફેદ મુખાવટી, માથાની પાછળ કાળી ટોપી ગળામાં કાળું લાળિયું, રાખોડી રંગની પીઠ અને તેમાં ઘેરી રેખાઓની સજાવટ, કાળા રંગની ઉપર નીચે પટપટ કરી પૂંછ અને સફેદ પેટાળ એ ખાસ લક્ષણો છે. શિયાળામાં કાળો રંગ ત્યજીને સફેદ રંગ ધારણ કરે છે. આંખો, લાંબા પગ વગેરે કાળા હોય છે. માદા રંગે થોડી ફિક્કી હોય છે. ભારતભરમાં દિવાળી દરમિયાન ફેલાઇ જાય છે. તેથી દિવાળી ઘોડો નામ પડયું છે. જોકે દશેરા દરમિયાન પણ વહેલું આગમન થાય છે. માર્ચ એપ્રિલ સુધી રહે છે. પછી પશ્ચિમ એશિયામાં પાછા ફરે છે. એક પ્રજાતિ ..... કાશ્મીર અને પાકિસ્તાનના સરહદી પ્રાંતમાં પ્રજનન કરે છે. આગમન વખતે અને વિદાય સમયે મીઠા અવાજે ગુંજન કરે છે. પાણી અને લીલોતરી, ઘાસ વગેરે જોઇ આકર્ષાય છે. 

હવે આવ્યો ‘ઈ-ટોઈલેટ’નો જમાનો!

મુંબઈઃ મહાપાલિકાએ થાણેવાસીઓની સુવિધા માટે હાઈટેક ટોઈલેટની પ્રસ્તાવ મૂકાયો છે. બે રૂપિયા અથવા તો સ્માર્ટ કાર્ડ સ્વાઈપ કરતાં ઓટોમેટિક દરવાજો ખુલશે. રાજ્યનું આ પહેલું ઈ-ટોઈલેટ હશે.

એક સીટનો આશરે ખર્ચ ૫.૫૦ લાખ જેટલો હશે, અને મહાપાલિકા કોન્ટ્રેક્ટર કંપનીને જગ્યા, પાણી અને વીજળીની સગવડ કરી આપશે. વીજળીનું બિલ સંબંધિત કંપનીને ચૂકવવાનું રહેશે.

મેડ ઈન દુબઈવાળા આ ટોઈલેટનો વિચાર આ પહેલાં કેરળમાં લાગુ કરવામાં આવ્યો હોઈ તેને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. ત્યાં પ્રથમ તબક્કામાં ૧૫૦ યુનિટ બેસાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુંબઈ, નવી મુંબઈ મહાપાલિકામાં પણ આ યોજના અમલમાં મૂકાશે એવું સાધનોએ જણાવ્યું હતું.

આવા હશે ઈ-ટોઈલેટ...

* ઈલેક્ટ્રોનિક પદ્ધતિના આ ટોઈલેટ ઓટોમેટિક હશે અને તેમાં સેન્સરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

* પીસીઓમાં કોઈન નાખવામાં આવે છે એ રીતે અહીં પણ બે રૂપિયાનો સિક્કો અથવા તો સ્માર્ટ કાર્ડ સ્વાઈપ કર્યા બાદ જ દરવાજો ખુલશે.

* આ ટોઈલેટમાં પંખા, લાઈટની સગવડ હશે અને જો તમે પાણીનો ઉપયોગ કરવાનું ભૂલી પણ જશો તો જાતે જ ટોઈલેટ ચકાચક થઈ જશે. 

ખેતીવાડીની જમીનમાંથી કુદરતી સત્ત્વો ઘટી રહ્યાં છે

કુદરત એ વિશ્વમાં શ્રેષ્ઠ અને સફળ શિક્ષક છે.


આર્થિક બાબતોના અગ્રતાક્રમ જેટલા ખોટા છે તેટલા જ ખોટા શહેરીકરણ અને ઔદ્યોગીકરણના અગ્રતાક્રમ છે. મોટા શહેરોને કારણે જે પ્રશ્ન ઊભા થયા છે તેના ઉકેલ માટે આજે હવે ક્ષમતા રહી નથી. એક પણ સુધરાઈ તંત્ર ગંદકી, કચરો, અસ્વચ્છતા વગેરેના પ્રશ્નને ઉકેલી શકવાને સક્ષમ રહ્યા નથી.

ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારમાં જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. ખેતીવાડીને લાયક જે જમીન છે તેના સત્ત્વોનો એવો તો વિનાશ થઈ રહ્યો છે કે જ્યારે જાણકારી થશે તે વખતે ત્યાં કંઈ જ બચ્યું નહીં હોય!! ખેતીવાડીની જમીન સાવ કસ વગરની થઈ ગઈ છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે છાણિયા ખાતરની તંગી છે.

નદીઓને પ્રદૂષિત કરવામાં કેમિકલ્સનો કેટલો મોટો ફાળો છે તે વાત હવે ચવાઈ ચવાઈને જૂની થઈ ગઈ છે. યમુના નદીમાં દિલ્હીનો માનવ સર્જિત કચરો ઠલવાય છે અને પછી તે જ યમુના નદીને માટે શુદ્ધિકરણના કરોડો રૂપિયાના બજેટ નક્કી કરવામાં આવે છે!!

આ કઈ જાતની વ્યવસ્થા છે અને કઈ જાતનો વિકાસ છે તે સમજવું ખૂબ મુશ્કેલ છે. ઈલોકોજિકલ સેનિટેશન પર ખાસ વિચારણા કરવાની જરૂર છે. આ બાબતે માત્ર કૃષિ સાથે સંકળાયેલા જ નહીં, પરંતુ છેક ઉપલી કક્ષાએ નીતિ વિષયક આયોજન કરનારાઓએ પણ ગંભીરતાથી રસ લેવાની જરૂર છે.

જમીનની ફળદ્રુપતા જરૂરી છે કારણ કે તેનાથી અનાજનું ઉત્પાદન જાળવી શકાશે. જો કોઈ કારણથી અનાજના ઉત્પાદનમાં ઘટાડો થયો તો શું થાય તે માત્ર ચર્ચાનો વિષય બને છે. ઉત્તરાખંડ એક જ રાજ્ય છે કે જ્યાં ઢોર ચરાવવા માટે જંગલ બચ્યું છે. ઉત્તરાખંડમાંથી છાણિયું ખાતર પંજાબના શ્રીમંત ખેડૂતોને વેચવામા આવે છે. આ બાબત પરથી તેનું મહત્ત્વ પ્રજાએ સમજવું રહ્યું.

નદીઓ જ ગટર બની ગઈ છે. કારણ કે તમામ કચરો ગટરમાં ઠલવાય છે અને આવા પ્રદૂષિત પાણીથી ખેતીવાડી નબળી પડે છે અને જમીનની ફળદ્રુપતાને ઘસારો લાગે છે. આવો ક્રમ તમામ નદીઓની આસપાસ આવેલા શહેર, નગર અને ગામડાંમાં જોવા મળે છે, પરંતુ કોઈનું પણ ધ્યાન જતું નથી.

ખાવા-પીવાની ચીજવસ્તુના ભાવમાં સતત વધારો થયા કરે છે. પ્રતિ વર્ષ ઉત્પાદન ઢગલાબંધ થાય છે, પરંતુ ભાવ વધે છે અને તેના સ્વાદ, મીઠાશ ઘટી રહ્યા છે. આવો વિરોધાભાસ દરેક વ્યક્તિની નજર સામે છે, પરંતુ કોઈ વિચારણા કરતું નથી. તેના કારણ શોધવા આગળ આવતું નથી. તેમ જ તેનું વિશ્લેષણ પણ થતું નથી.

ચીકુ, પપૈયા, દાડમ, સફરજન જેવા ફળો પણ હવે તો સત્ત્વ વગરના થઈ ગયા છે. તેમનો કુદરતી સ્વાદ જ હવે રહ્યો નથી. જે જમીનમાં તે પાકે છે તે જમીન જ સત્ત્વહીન થઈ ગઈ છે આથી દેખીતી રીતે જ તે જમીનમાંથી નીપજતી ઉપજ કસ વગરની, સ્વાદ કે સોડમ વગરની હોય તે સ્વાભાવિક છે.

ગુજરાતી ભાષામાં કહેવાયું છે કે બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા, આ બાબત જમીનમાંથી ઉત્પાદિત તમામ ચીજવસ્તુને લાગુ પડે છે. એક સમયે ભાલ કાંઠામાં થતાં ઘઉં વેઢા જેવડો દાણો ધરાવતા હતા, આજે આવા મૂલ્યવાન દેશી ઘઉં સાવ અલભ્ય છે ક્યાંક થતાં હોય તો જાણકારી નથી.

તેવી જ રીતે કઠોળમાં મગ, ચણા વગેરેના ગુણધર્મ ઓછા થઈ ગયા હોય તેવું લાગે છે. કઠોળમાં ભાવ એટલા વધી ગયા છે કે સામાન્ય વ્યક્તિને તેના ભાવ પરવડે તેવા નથી. આ સઘળું જમીનની ફળદ્રુપતા ઘટી જવાને કારણે થયું છે તે અંગે વ્યાપક ચર્ચા થવી જોઈએ.

આયુર્વેદના ઓસડિયાંઓએ તેનું પરંપરાગત મૂલ્ય ક્યારનું ય ગુમાવ્યું છે. આયુર્વેદિક ઔષધ આજે અસરકારક રહ્યા નથી. કારણ કે જે જમીન પર તે થાય છે તે જમીન જ મૂળભૂત સત્ત્વ વગરની થઈ ગઈ છે. કુદરતી સંપત્તિ ધરાવતા તત્ત્વો જમીનમાં હોય તે જ ખતમ થઈ ગયા છે.

ઘણા કહે છે કે હવે કંઈ થઈ શકે તેવું નથી, પરંતુ જો પ્રયાસ કરવામાં આવે તો હજુ બગડી ગયેલી બાજી સુધારી શકાય તેવું છે. જમીનના સત્ત્વો જે કારણોથી ઘટી રહ્યા છે તેની જાણકારી છે. હવે નિષેધાત્મક પ્રયાસો થવા જોઈએ. બાકી વાતો ઘણી થઈ છે. ચોક્કસ અને નક્કર કાર્ય થવું જોઈએ.

આ બાબતે સ્વૈચ્છિક સંગઠનોએ જ પોતાની કામગીરીનો વ્યાપ વધારવો પડશે. સમગ્ર પ્રજાને સ્પર્શતી આ બાબત છે. વળી પ્રજાના કલ્યાણનો મુદ્દો છે. જમીનની ગુણવત્તા સુધારવા પ્રજાએ જ કેટલાક નિષેધાત્મક ઉપાય સ્વીકારવા પડશે. આધુનિકતા ઘણી વખત અભિશાપ સમાન પુરવાર થાય છે. 

Saturday, October 15, 2011

કપ્તાનનો વાહ વાકાનેરનો પ્રથમ અક (દર મહીના પ્રથમ સોમવારે પ્રસિધ્ધ થશે.)


કાર્યક્ષમતા અને ઉત્પાદકતા મંદી સામે ઢાલ બની શકે છે

સમાજમાં સમજશક્તિ વધારે તેવા પરિબળ, નેતૃત્વ અને વ્યક્તિની આજે જરૂર છે.


સમગ્ર વિશ્વના રાષ્ટ્ર આર્થિક પરિસ્થિતિની વિચિત્રતાનો સામનો કરી રહ્યા છે. એક પણ રાષ્ટ્ર રોજગારી, ભાવ સ્થિરતા, કૃષિ ક્ષેત્રનો સમતોલ વિકાસ, સ્વચ્છ પર્યાવરણ, પ્રદૂષણ વગરનું વાતાવરણ. આ તમામથી સંતુષ્ટ નથી. તેમ છતાં નોબલ પ્રાઈઝ પશ્ચિમના જ અર્થશાસ્ત્રીઓને મળે છે કે જેમની વિચારધારાથી યુરોપ - અમેરિકા ખાડામાં ગયા છે!!

કંઈક ખોટું થયું છે. પશ્ચિમનું અર્થશાસ્ત્ર અને તેમના અર્થશાસ્ત્રીઓ ભારતના અર્થતંત્રને ‘કાઉ ડંગ ઈકોનોમી’ એટલે કે છાણિયા ખાતરનું અર્થતંત્ર કહીને વગોવતા હતા. ભારત તેની ઓછી આવશ્યકતા અને કરકસરને કારણે જ સુખી હતું. પશ્ચિમ તો છતે ઉત્પાદને આજે તેમના ચલણની આબરૂ ગુમાવી રહ્યું છે, પરંતુ તેનું વિશ્લેષણ કોઈ કરતું નથી.

ભારતે આવી અસરથી બચવા માટે પોતાની પાસે જે કંઈ સાધનો છે તેને જાળવી રાખીને હવે પછી કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવા તરફ ધ્યાન આપવું જોઈએ. મતલબ કે પ્રત્યેક દિવસ જો એક કલાક વધુ કામ કરવામાં આવે તો ઉત્પાદકતાની સાથે કાર્યક્ષમતા પણ વધવાની છે.

આજે વિશ્વનાં તમામ રાષ્ટ્રમાં કાર્યક્ષમતા તદ્દન નીચે ઊતરી ગઈ છે. મૂડીરોકાણ થાય છે તે ટેક્નોલોજી અને માળખાકીય સગવડતા વધારવા તરફ થાય છે, પરંતુ ઉત્પાદકતા વધારવાના કેન્દ્રમાં રહેલી માનવશક્તિ અને માનવસંપદા સુધારવા તરફ કોઈ ધ્યાન આપતું નથી. આ એક વિરોધાભાસી બાબત છે કે જે ધ્યાનમાં હોવા છતાં તેના માટે કોઈ પગલાં લેવાતાં નથી.

ભારત જેવા રાષ્ટ્રને ઉત્પાદકતા વધારવાના ઢગલાબંધ ફાયદા મળે તેવું છે. શિક્ષણ, બેન્ક, પોસ્ટલ સેવા, સુધરાઈ તંત્ર વગેરેમાં કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવા પુષ્કળ અવકાશ છે. આવી બાબતો વેપાર - ઉદ્યોગ માટે મંદીની સામે ઢાલ તરીકે કામ આવે છે. યુરોપમાં મંદી આવી છે તેના કારણમાં ખર્ચ અને વળતર વચ્ચે ગાબડું છે. મતલબ કે યુરોપની વેપારી પેઢીઓ જે ખર્ચા કરે છે તેના પર તેમને વળતર ઓછું મળે છે, પરંતુ તે વધારવા કાર્યક્ષમતા વધારવી જોઈએ. માત્ર છથી સાત કલાક કામ કરવાનો નિયમ છે તેમાં સ્વૈચ્છિક રીતે ૧ કલાકનો દૈનિક વધારો થાય તો ઘણું ઉત્પાદન વધે. કામમાં ઝડપ આવે અને તે રીતે એકંદરે તો અર્થતંત્રને જ ફાયદો થાય. અત્રે એ નોંધવું જરૂરી છે કે જો ખર્ચા ઘટે તો જ ઉત્પાદકતા - કાર્યક્ષમતામાં પ્રતિબિંબ પડે. ખર્ચા કઈ રીતે ઘટાડવા તે જે તે વેપાર - ઉદ્યોગ અને તેની કાર્યપ્રણાલિકા પર નિર્ભર છે. આ માટે ચોક્કસ પ્રમાણ અને આધાર વિકસાવવા જોઈએ. યુરોપ આજે મુશ્કેલ દિવસોનો સામનો કરી રહ્યું છે તેના મૂળમાં બેફામ ખર્ચા છે.

ભારતની પ્રજા ‘‘કોસ્ટ કોન્શિયસ’’ મતલબ કે ખર્ચા કરતા અગાઉ બે વખત વિચારે તેવી છે. દરેક બાબતે જોખીજોખીને નિર્ણય કરવામાં આવે તો કોઈ મુશ્કેલી નથી, પરંતુ માત્ર બજાર કબજે કરવા જે રીતે આડેધડ ખર્ચ થાય છે તે યોગ્ય નથી. વેપારમાં આજે નફાનો ગાળો સંકોચાયો છે. કોઈપણ વેપાર કસવાળો રહ્યો નથી. ઓછે નફે બહોળો વેપાર થઈ રહ્યો છે.

પરંતુ નફાનું પ્રમાણ ઘટ્યું છે કારણ કે આડકતરા ખર્ચા વધ્યા છે. જેવા કે ટેલિફોન, મકાન, દુકાન પરના વેરા તેમજ ઈલેક્ટ્રિસિટી, બેન્ક, વ્યાજ, - સર્વિસ ચાર્જ વગેરે જેવા ખર્ચા હજુ તો ૨૦ વર્ષ અગાઉ હતા તેના પ્રમાણમાં અનેકગણા વધી ગયા છે. નફો ચવાઈ જાય છે તેના મૂળમાં આવી બાબતો છે. આથી તો મંદી હવે દર બે - ત્રણ વર્ષે જોવા મળે છે. અગાઉના સમયમાં મંદી આવતી હતી, પરંતુ તેને પહોંચી વળી શકાતું હતું. જ્યારે આજે મંદીના છાંટા મહિનાઓ સુધી ઊડે છે. અનેક વેપાર - ધંધા બંધ થઈ જાય છે. કામદાર - કર્મચારીઓની છટણી થાય છે. સમાજમાં નારાજગી - અસંતોષનું વાતાવરણ ફેલાય છે. આવા ઘણા પ્રત્યાઘાત અર્થતંત્રમાં પડે છે.

અર્થતંત્રમાં જો કૃષિ મહત્ત્વની હોય તો તેના પ્રત્યાઘાત પણ તેવી જ રીતના હોય છે. ભારતે આ તમામ પ્રકારની ચડ-ઊતર સામે સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે ૧૨૦ કરોડની જનસંખ્યા ધરાવતા રાષ્ટ્રમાં રોજગારી અને ઉત્પાદન ક્ષેત્રે એક નાનકડો પ્રત્યાઘાત પણ અનેક અસર ઊભી કરી શકે છે. ભારતને હવે પછી મંદીની અસર ન થાય તે માટે ખર્ચા પર નિયંત્રણ સાથે કામદાર - કર્મચારીઓની કાર્યક્ષમતા, ઉત્પાદકતા માટે વિશેષ ધ્યાન આપવાની ખાસ જરૂર છે. હાલમાં તો આ દિશામાં એક ટકો પણ વિચારણા થતી નથી, પરંતુ વેપારી - મંડળો અને ટ્રેડ એસોશિયેશન તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમાં આગેવાની લેવાય તે જરૂરી છે.

કાર્યક્ષમતા એટલે શું? તેમાં કઈ રીતે વધારો કરી શકાય? જુદા જુદા વ્યવસાય માટે કાર્યક્ષમતાના આધાર નક્કી કરવા અને તેવી જ રીતે ઉત્પાદકતા વધારવા વિવિધ પગલાં લેવા વગેરે માટે આજે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આથી રાષ્ટ્ર મંદી સામે ટકી શકશે અને લાંબે ગાલે મજબૂત બની શકશે.

પાણી બન્યા પણ કેવાં?

પાણી જો એકધારું પાણા પર પડે તો પાણાનેય કાપી નાખે. પાણીનો સ્પર્શ મખમલી અને આમ જુઓ તો એની તાકાત કાંઈ નહીં, પણ પાણી ધારે તો વિરાટ, વિકરાળ અને વિનાશક પણ બની જાય. અદ્દલ માણસ જ જોઈ લો, નહીં?
આ જુઓ તો ખરા, ગ્લાસમાં ભરેલા પાણીની જેમ લોકો નિરુપદ્રવી અને નિરર્થક જીવીનેય કેવા રાજી રહે છે? બધાને મનમાં કેમ થતું નથી કે પોતાના જ અસ્તિત્વના પાણા પર સ્વભાવના સુધારાની પાણીની ધાર પટકાવી પટકાવીને કોઈક ચેન્જ લાવીએ. નકરી ધાંધલ-ધમાલ સહન કરીને ઢસરડા કરનારને ધોધ બનીને ધૂબકતાં અને કોઈક ચમત્કાર કરતાં કેમ આવડે નહીં? ખાબોચિયું, તળાવ, નદી, ઝરણું કે દરિયો, બધું પાણી છે, ઝરમર અને અનરાધાર વરસાદ પાણી છે. આપણેય આવી જ વ્યક્તિત્વની વરાઈટી છીએ. બસ, અંદરના ઉપદ્રવને ઉપજાઉ બનાવીને નિરુપદ્રવીમાંથી નક્કર પરિણામલક્ષી બનવાની વાર છે. પાણી એવાં બનો કે ધાર હોય, ધરાર આગળ વધવાની ધગશ હોય. સવારે જાગો ત્યારે ઊઠી ગયા એવી નહીં પણ સૂર્યની જેમ ઊગ્યા તેવી ફીલિંગ હોય. આખરે પાણીદાર માનવીનો જન્મ મળ્યો છે શા માટે?ગ્લાસમાં ભરાઈને હવે સિક્યોર્ડ ન રહો, જરા ઢોળાવ, જરાક વહેવા માંડો. તમે આવું નહીં કરો તોય વરાળ બનીને ઊડી જવાના છો. ઊડી જતાં પહેલાં ઉજાસ તો ફેલાવો, ચમકારો તો બતાવો અને જગતને જરા ઈમ્પ્રેસ તો કરો, પ્લીઝ.